અહીં અગરવૂડની ખેતી અથવા અગરવૂડની ખેતીની પદ્ધતિઓ વિશે માહિતી આપી છે.
અગરવૂડને દેવતાઓનું લાકડું (કાષ્ટ) કહેવામાં આવે છે. અગરવૂડનું વૈજ્ઞાનિક નામ એક્વિલેરિયા છે અને એક્વિલેરિયાનું વૈજ્ઞાનિક નામ રેઝિનસ હાર્ટવુડ છે. તે મૂળ દક્ષિણ-પૂર્વ એશિયાનું વૃક્ષ છે. અગરવૂડ એ એક્વિલેરિયાનું ચેપગ્રસ્ત લાકડું છે. તે જંગલમાં થતું વૃક્ષ છે અને લગભગ 40 મીટરની ઉંચાઈ અને 80 સેન્ટિમીટર જેટલી પહોળાઈ ધરાવે છે. આ જંગલી વૃક્ષોને કેટલાક મોલ્ડ અથવા પરોપજીવી ફૂગનો ચેપ લાગે છે જેને ફિયાલોફોરા પેરેસાઈટિકા (Phialophora parasitica) કહેવાય છે. તેનો પ્રતિકાર કરવામાં ન આવે તો હાર્ટવુડમાં અગરવૂડ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. તે ચેપ પહેલાની ગંધહીન સ્થિતિ હોય છે. જેમ જેમ ચેપ આગળ વધે છે, તેમ તે હાર્ટવુડમાં ડાર્ક રેઝિન પેદા કરે છે. આ જડિત લાકડું મૂલ્યવાન હોય છે. તે બહુ સારી સુગંધ આપે છે અને તે ધૂપ અને અત્તર બનાવવામાં વપરાય છે. આ સુગંધિત ગુણોનો આધાર તેની પ્રજાતિઓ, ભૌગોલિક સ્થાન, થડ, શાખા, મૂળની ઉત્પત્તિ, ચેપ લાગ્યા પછીનો સમય અને લણણી પર રહેલો હોય છે. લગભગ 10% જેટલા જંગલી પરિપક્વ એક્વિલેરિયા વૃક્ષ કુદરતી રીતે રેઝિન ઉત્પન્ન કરી શકે છે.
અગરવૂડની લાક્ષણિકતાઓ અને સામાન્ય નામ
ઘેરા રંગના અગરવૂડ હોય તેવા એક્વિલેરિયાની છાલ કાઢી નાખવામાં આવે છે અને વૃક્ષને મોલ્ડથી ચેપ લાગવા દેવાય છે. અંડરવૂડને જુદા જુદા દેશોમાં જુદા જુદા નામોથી બોલાવી શકાય છે. હિન્દીમાં તેને અગર કહે છે, જ્યારે સંસ્કૃત, કન્નડ અને તેલુગુમાં અગુરુ, તમિલમાં અકીલ અને આસામમાં સાસી કહેવામાં આવે છે. અગરવૂડની રચના ઝાડના મૂળ અને થડમાં થાય છે અને તેમાં જંતુઓ ઘૂસી જાય છે. આ વૃક્ષ નુકસાનને છૂપાવવા માટે એક સ્વ-રક્ષણ પદાર્થ પેદા કરે છે. ચેપ વગરનું લાકડું હળવા રંગનું હોય છે અને જ્યારે ચેપગ્રસ્ત લાકડામાં રેઝિન તેનો રંગ બદલીને તેની ઘનતામાં વધારો કરે છે. વરાળનો ઉપયોગ કરીને ઓડના તેલને અગરમાંથી નિસ્યંદિત કરવામાં આવે છે. તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં અને આધ્યાત્મિક પ્રક્રિયાઓમાં ધૂપ તરીકે થાય છે. અગરવૂડ વરાળ નિસ્યંદનમાંથી પસાર થાય છે અને તે ગ્રેડ અનુસાર વિવિધ શક્તિના તેલના વિવિધ ગ્રેડનું ઉત્પાદન કરે છે. તીવ્રતા ઘટાડ્યા વગરનું તેલ ત્વચા પર  લગાવી શકાય છે. તે શરીર માટે ઉત્તેજક, શક્તિવર્ધક, બળતરા વિરોધી, પાચન વધારનાર, પીડાનાશક, સંધિવા વિરોધી, ખંજવાળ વિરોધી, ભૂખ પ્રેરિત કરનાર અને ટ્રાન્ક્વિલાઈઝર તરીકે મદદ કરે છે. તેનાથી  ત્રીજી આંખ ખુલી જાય છે અને શરીરના તમામ ચક્રો ખોલવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કેન્સર વિરોધી ઉપચારમાં થાય છે. તે શરીરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે.
અગરવૂડના છોડની લાક્ષણિકતાઓ
• અગરવુડ, એલોસવુડ અથવા ઘ્રુવુડ એ ઘેરા રેઝિનસયુક્ત સુગંધિત લાકડું છે જેનો ઉપયોગ નાની કોતરણી, ધૂપ અને પરફ્યુમમાં થાય છે.
·        વન્ય સંસાધનોની અછત હોવાના કારણે અગરવૂડ બહુ મોંઘું હોય છે.
·        અગરવૂડની સુગંધ આહલાદક અને જટિલ હોય છે અને કુદરતમાં તેના જેવી બહુ ઓછી અથવા નગણ્ય એકરૂપતા હોય છે.
અગરવૂડના પ્રકારઃ
કુદરતી અથવા કૃત્રિમ રીતે અસર કરવામાં આવે ત્યારે એક્વિલેરિયાની મોટાભાગની પ્રજાતિઓ અગરવૂડમાં ફેરવાય છે. આ પ્રજાતિઓ સમગ્ર વિશ્વમાં વિવિધ સ્થળોએ જોવા મળે છે. ઉત્પાદિત અગરવૂડ તેલના ગુણધર્મો અને લાક્ષણિકતાઓ એકબીજાથી સ્વતંત્ર હોય છે.
અત્યાર સુધીમાં એક્વિલેરિયાની 21 પ્રજાતિઓ માન્ય છે. તે નીચે મુજબ છે.
એક્વિલેરિયા એપિક્યુલેટ (બોર્નિયો)
1. એક્વિલેરિયા બેઈલોની (કમ્બોડિયા, ઇન્ડોચાઇના, થાઇલેન્ડ)
2. એક્વિલેરિયા બેનેન્સિસ (વિયેતનામ)
3. એક્વિલેરિયા બેકેરિયેના (સાઉથ ઇસ્ટર્ન એશિયા)
4. એક્વિલેરિયા બ્રેકાઇયેન્તા (દક્ષિણપૂર્વ એશિયા- ફિલિપાઇન્સ)
5. એક્વિલેરિયા સાઇટ્રિનીકાર્પા (દક્ષિણપૂર્વ એશિયા- ફિલિપાઇન્સ (મિન્ડાનાઓ)
6. એક્વિલેરિયા ક્રેસના (થાઇલેન્ડ, કમ્બોડિયા, ઇન્ડોચાઇના, વિયેતનામ, લાઓ પીડીઆર, ભુટાન)
7. એક્વિલેરિયા ક્યુમિન્જિનિયા (ઇન્ડોચાઇના)
8. એક્વિલેરિયા ડિસેમ્કોસ્ટાટા (ફિલિપાઇન્સ)
9. એક્વિલેરિયા ફિલારિયલ (ઇન્ડોચાઇના)
10. એક્વિલેરિયા હિર્ટા (મલેશિયા, ઇન્ડોનેશિયા)
11. એક્વિલેરિયા ખાસિયાના (ભારત)
12. એક્વિલેરિયા મેલાસેન્સિસ (લાઓ પીડીઆર, મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ભુટાન, બર્મા)
13. એક્વિલેરિયા માઇક્રોકાર્પિયા (ઇન્ડોનેશિયા, બોર્નિયો)
14. એક્વિલેરિયા પાર્વિફોલિયા (ફિલિપાઈન્સ (લુઝોન))
15. એક્વિલેરિયા રોસ્ટ્રેટ (મલેશિયા)
16. એક્વિલેરિયા રુગોઝ (પાપુઆ ન્યુ ગિની)
17. એક્વિલેરિયા સાઇનેન્સિન (ચીન)
18. એક્વિલેરિયા સબઇન્ટેગ્રા (થાઇલેન્ડ)
19. એક્વિલેરિયા ઉર્ડાનેટેન્સિન (ફિલિપાઈન્સ)
20. એક્વિલેરિયા યુનાનેન્સીન (ચીન)
અગરવૂડની ખેતી માટે માટી અને આબોહવાની સ્થિતિ
અગરવૂડ સામાન્ય રીતે દરિયાઈ સપાટીથી 750 મીટરથી વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં સારી રીતે ઉગે છે. તે પીળી, લાલ પોડઝોલિક, રેતાળ જમીનમાં ઉગાડવામાં આવે છે. તેનું સરેરાશ તાપમાન 20 ડિગ્રી સે.થી 33 ડિગ્રી. સે. સુધીનું હોય છે. તે 2,000 થી 4,000 મીમી વચ્ચેના વરસાદમાં ઉગાડી શકાય છે. સોલમની જાડાઈ 50 સેમીથી વધુ હોય છે. આ વૃક્ષો વિવિધ જંગલો અને ઇકોસિસ્ટમમાં સારી રીતે ઉગાડી શકાય છે. જમીનની લાક્ષણિકતાઓ અને ફળદ્રુપતા પર્યાવરણીય પરિસ્થિતિઓ પર પ્રભાવ પાડે છે. આ રોપા 20-33 ડિગ્રી. સે તાપમાન, 77-85% સુધી સાપેક્ષ ભેજ અને 56-75% પ્રકાશની તીવ્રતા વચ્ચે વધી શકે છે. દરમિયાન, દરિયાની સપાટીથી 200 મીટરની ઊંચાઈએ, પરિસ્થિતિઓમાં થોડો ફેરફાર થાય છે. જોકે, અગરવૂડના ઉત્પાદન માટે શ્રેષ્ઠ પર્યાવરણીય પરિબળોના વધુ અભ્યાસની હજુ જરૂર છે.
વાંચોઃ સ્પાયરુલિના ફાર્મિંગ પ્રોજેક્ટ રિપોર્ટ
અગરવૂડની વાવણી
કૃત્રિમ ઇનોક્યુલેશનની ટેકનિકનો ઉપયોગ કરીને ઘણા લોકો દ્વારા અગરવૂડનું વાવેતર કરી શકાય છે. આ ટેકનિક વડે, વ્યક્તિ દાયકા કરતાં ઓછા ગાળામાં (કુદરતી રીતે) એગરવુડ પ્રાપ્ત કરી શકે છે. સારા પરિણામો મેળવવા માટે, સારી ગુણવત્તાવાળા રોપા પસંદ કરી શકાય છે.
એક્વિલેરિયા સિડલિંગઃ
અગરવૂડની જરૂરિયાત પ્રાપ્ત કરવા માટે, માંગને પહોંચી વળવા વધુ વૃક્ષો વાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. હાલમાં 20 ટકા અગરવૂડ ઉત્પાદન કરે છે. ખાનગી નર્સરીઓ દ્વારા ખેતી સફળતાપૂર્વક કરી શકાય છે. બીજ ધરાવતા એક્વિલેરિયાને ઓળખવું એ ખેતીનું પ્રથમ પગલું છે. પ્રસરણની પ્રક્રિયા બીજ પરિપક્વતાના તબક્કે થાય છે. અંકુર ફૂટ્યા પછી તરત જ પ્રસરણ થઈ શકે છે કારણ કે બીજનું ટકાઉપણું ઓછું હોય છે અને વાતાવરણના સંપર્કમાં આવતા જ તે પોતાની ક્ષમતા ગુમાવી દે છે. યોગ્ય આયોજન, વ્યવસ્થાપન કૌશલ્ય અને સંગ્રહ સાથે મોટી સંખ્યામાં એક્વિલેરિયાના રોપાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
વાવેતરની રેન્જ
એક્વિલેરિયા વિવિધ જમીન પર, વિવિધ પરિસ્થિતિઓમાં અને ખરાબાની જમીનમાં ઉગાડી શકાય છે. આ વિશેની રસપ્રદ અને મહત્વની હકીકત એ છે કે તેની ખેતી ખેતરમાં, ઘરના બગીચામાં અથવા અન્ય વૃક્ષો સાથે તેનો આંતર-પાક લઈ શકાય છે.
અગરવૂડની ખેતીમાં કૃત્રિમ રસીકરણ (ઇનોક્યુલેશન)
તેમાં માત્ર ફંગલ ઇનોક્યુલેશનનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં રસાયણોનો સમાવેશ થતો નથી. આ પદ્ધતિમાં એક્વિલેરિયાના ઝાયલેમમાં ફૂગને પ્રેરિત કરી શકાય છે. ટૂંકા ગાળા (2-3 કલાક) માં, ઇન્ડ્યુસર વૃક્ષના તમામ ભાગોમાં પહોંચે છે જે ઝાડ પર ઘાવ તરફ દોરી જાય છે. થોડા મહિનાઓ પછી ઝાડના મૂળ, થડ અને ડાળીઓ જેવા ભાગોમાં ઘાની આસપાસ રેઝિનસ લાકડું બને છે. થોડા દિવસોની પ્રારંભિક સારવાર પછી, અમે તમામ શાખાઓના ક્રોસ સેક્શનનું અવલોકન કરી શકીએ છીએ. 4 મહિના પછી જીવંત વૃક્ષમાં રેઝિન યુક્ત લાકડું જોઇ શકાય છે. જ્યારે લાકડાને આગથી શેકવામાં આવે ત્યારે તેમાંથી હળવી સુગંધ મળે છે. લણણી સમયે મૂળનો ભાગ ખોદવામાં આવે છે અને રેઝિનને એક્વિલેરિયા વૃક્ષમાંથી અલગ કરી શકાય છે.
અગરવૂડની ખેતી માટે જમીનની તૈયારી અને વાવણી
ટકી શકે અને વૃદ્ધિ કરી શકે તેવી સંભવિત પ્રજાતિઓ પસંદ કરવા માટે ઇકોલોજીકલ પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે. ઘણા વાવેતરો વાવેતરના 3થી 4 વર્ષ પછી જમીન અને આબોહવા નહી, પરંતુ સ્થગિત પાણીના કારણે ખતમ થઈ રહ્યા છે. છોડનો મૃત્યુદર ઘટાડવા માટે ઢોળાવવાળી જમીનમાં વાવેતર કરી શકાય છે. રોપાઓ 60-90 સેન્ટિમીટરની ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી જમીનમાં રોપવામાં આવે છે. જો રોપા પૂરતા મોટા ન હોય તો, પોલી બેગમાં રુટ કોઈલીંગને કારણે જૂના રોપા રાખવાની સલાહ આપવામાં આવતી નથી. નાની પોલી બેગમાં અને 120 સેન્ટિમીટરથી વધુ કદના જૂના રોપાઓની સાથે વાવેતર ટાળવું જોઈએ.
નીચેની પદ્ધતિથી 99 ટકા સર્વાઈવિંગ રેટ મળે છેઃ
40x40x40 ના ખાડા તૈયાર કરો. આ ખાડામાં વરસાદ, સૂર્યપ્રકાશ અને ઓક્સિજનયુક્ત માટી પહોંચાડવાથી છોડના મૂળનો વિકાસ થાય છે. જમીન સખત હોય, તો માટીના મિશ્રણને ઢીલું કરવા માટે કોકો પીટ ઉમેરી શકાય છે. કોકો પીટમાં પુષ્કળ ઓક્સિજનયુક્ત ગુણધર્મો છે. ફોસ્ફરસ ટીએસપી (ટ્રિપલ સુપર ફોસ્ફેટ) અને ડીએપી (ડી એમોનિયમ ફોસ્ફેટ)માંથી પણ મેળવી શકાય છે. તેના વધારે ડોઝથી બીજને નુકસાન થઈ શકે છે. આ અત્યંત દ્રાવ્ય હોય છે અને જમીનમાં ઝડપથી ઓગળી જાય છે અને છોડને ઉપલબ્ધ ફોસ્ફેટ છોડે છે. જંતુઓના હુમલાને ઘટાડવા માટે જૈવિક ખાતર તરીકે 15% ગાયનું છાણ અને 20 ગ્રામ ફનાદાન ઉમેરવામાં આવે છે. છિદ્રને (ખાડાને) યોગ્ય સ્તર સુધી ઢાંકી શકાય છે અને રોપણીની સપાટીથી 2 ઇંચ ઉપર બીજ ઉગાડી શકાય છે. પોલી બેગ દૂર કરી શકાય છે અને રોપાને ખાડામાં રાખી શકાય છે. વોટર કેચમેન્ટમાં સુધારો કરવા માટે સિડલિંગ ચેમ્બરને ઢાંકી શકાય છે.
અગરવૂડની ખેતી માટે ખાતર અને ફર્ટિલાઈઝરની જરૂરિયાત
માટીને ઢીલી કરવા માટે તેમાં કોકો પીટ ઉમેરવામાં આવે છે. તે વધુ ઓક્સિજનયુક્ત ગુણધર્મો ધરાવે છે. ટ્રિપલ સુપરફોસ્ફેટ (ટીએસપી) અને ડી એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)માંથી જમીનમાં ફોસ્ફરસ ઉમેરવામાં આવે છે. તે અત્યંત દ્રાવ્ય હોય છે અને જમીનમાં ઝડપથી ઓગળી જાય છે તથા છોડ માટે ફોસ્ફેટ રિલિઝ કરે છે. ગાયનું છાણ જૈવિક ખાતર તરીકે કામ કરે છે અને જંતુઓના હુમલાનો પ્રતિકાર કરવા માટે 20 ગ્રામ ફનાદાન ઉમેરવામાં આવે છે.
અગરવૂડની ખેતીમાં લણણીની પદ્ધતિઓઃ
તેની લણણીમાં પસંદગી, કાપણીની પ્રક્રિયા, એકઠું કરનારાઓના વિવિધ પ્રકારો (સ્થાનિક અને બિનસ્થાનિક) અને વેપારીઓ સાથેના તેમના સંબંધોનો સમાવેશ થાય છે. અગરવૂડની લણણી કામચલાઉ અથવા કાયમી વ્યવસાય હોય છે. એકઠું કરનારાઓ અગરવૂડ પર આધાર રાખે છે કારણ કે તેમની આવક ક્રેડિટ સિસ્ટમ દ્વારા વચેટિયા સાથે જોડાયેલ છે. તેઓ બદલામાં સરેરાશ 50-100 કલેક્ટર (એકઠું કરનારાઓ) સાથે જોડાયેલા હોય છે, તેઓ સ્વતંત્ર હોઈ શકે છે અથવા તેઓ એક વેપારી પર આધારિત હોઈ શકે છે. અગરવૂડનો ઉપયોગ સ્થાનિક રીતે ઔષધીય હેતુઓ માટે થાય છે, પરંતુ આ અભ્યાસ દરમિયાન સંકલિત માહિતીના આધારે, એવું જણાય છે કે મોટાભાગની લણણી કરાયેલા અગરવૂડની નિકાસ કરવામાં આવે છે.
અગરવૂડની પેદાશઃ
70 કિલો લાકડામાંથી 20 મિલીથી પણ ઓછું તેલ મળે છે. એક્વિલેરિયાની લગભગ 20 પ્રજાતિઓ અગરવૂડનું ઉત્પાદન કરે છે. એક ઝાડમાંથી સરેરાશ ઉપજ લગભગ 4 કિલો હોય છે. તેની હાલની કિંમત 50,000.00થી 2,00,000 લાખ છે. એક અગરવૂડના ઝાડમાંથી લગભગ 1,00,000ની ઉપજ મળે છે.